For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

કયા ગામમા કેટલી ઝડપે પવન ફૂંકાશે; અસરગ્રસ્ત ગામો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટે જાહેર કર્યુ લીસ્ટ, અહીંથી જુઓ ગામની યાદી

07:46 AM Jun 20, 2023 IST | admin
Advertisement
કયા ગામમા કેટલી ઝડપે પવન ફૂંકાશે  અસરગ્રસ્ત ગામો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટે જાહેર કર્યુ લીસ્ટ  અહીંથી જુઓ ગામની યાદી
કયા ગામમા કેટલી ઝડપે અવન ફૂંકાશે

કયા ગામમા કેટલી ઝડપે પવન ફૂંકાશે; અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બની રહ્યુ છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ ગ્તિ કરી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત માટે આગામી 36 કલાક ખૂબ જ મહત્વના બની રહેશે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લા કચ્છ અએન દેવભુમિ દ્વારકામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 36 કલાક દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ સહિત અન્ય જિલ્લાઓને રેડ એલર્ટ કરાયા છે. એક બાજુ વાવાઝોડાનું સંકટ છે ત્યાં સાથે અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની છે. તથા વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટની નજીક આવ્યું છે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
  • બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ત્યારે દ્વારકાના દરિયામાં ઉંચા મોજા સાથે કરંટ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ ગોમતી ઘાટ પાસે સહેલાણીઓને પ્રવેશ માટે મનાઈ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છ માટે આગામી 36 કલાક અતિભારી

વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા દ્વારકાથી 300 કિમી દૂર તેમજ બિપોરજોય વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર છે. સાથે જ નલિયાથી 310 કિમી દૂર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડુ 370 કિમી દૂર છે. વાવાઝોડુ બિપોરજોય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. તથા વાવાઝોડુ સતત ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

ગઈકાલ રાત કરતા વાવાઝોડુ જખૌ પોર્ટથી 20 કિમી નજીક પહોંચ્યુ છે.

વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર
દેવભૂમિ દ્વારકાથી 300 કિમી દૂર
કચ્છના નલિયાથી 310 કિમી દૂર
સૌરાષ્ટ્રના પોરબંદરથી 350 કિમી દૂર
પાકિસ્તાનના કરાચીથી 370 કિમી દૂર

રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ

ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે. આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી

At what speed will the oven blow in which village?

અસરગ્રસ્ત ગામો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટે જાહેર કર્યુ લીસ્ટ

ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જે જિલ્લાઓમા જે ગામોમા વાવાઝોડાની અસર થવાની સંભાવના છે ત્યા કેટેલી પવનની ઝડપ રહેશે તેના માટે લીસ્ટ જાહેર કરેલ છે. આ PDF ડાઉનલોડ કરવાની લીંક નીચે મુજબ છે.

અસરગ્રસ્ત ગામો ગામની યાદીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો