For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

GSSSB Recruitment 2024: બમ્પર ભરતી આવી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

07:11 PM Jan 03, 2024 IST | admin
Advertisement
gsssb recruitment 2024  બમ્પર ભરતી આવી  ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત
4300 જગ્યાઓ માટે ભરતી જાહેર

GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી. 4 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં ખુશીની લહેર પ્રસરી.

Gaun Seva Pasandgi Mandal: તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી શકાશે ફોર્મ. રાત સુધીમાં વેબસાઈટ ઉપર મુકાઈ જશે જાહેરાત અને આવતીકાલ ના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત

GSSSB Recruitment 2024, મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ: 4 જાન્યુઆરી 2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2024
  • GSSSB ની વેબસાઈટ: gsssb.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, નોટિફિકેશન

આવતીકાલ ના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત, રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી કરવાની

OJAS BHARTI 2024: ની (ojas.gujarat.gov.in)વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 4 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. આશરે 22 કેડરમાં કુલ 4300 જગ્યા માટે અરજી મંગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પરીક્ષા પદ્ધતિ

પસંદગીની પ્રક્રિયામાં જાહેરામાં ફકરા નં. 9માં દર્શાવ્યા મુજબની એક તબક્કાની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓએમઆર પદ્ધતિની અથવા કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષામાંથી ઉમેદવારે પસાર થવાનું રહેશે.
જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની અમુક પરીક્ષા સંદર્ભેની અમુક સૂચનાઓ મોબાઈલ નંબર પર એસ.એમ. એસથી આપવામાં આવશે. આથી અરજીપત્રમાં સંબંધિત કોમલમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો.

Tags :