સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

સરકારે સાંભળી વાત; TAT પાસ ઉમેદવારોની કરશે ભરતી, TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી

06:36 PM Jun 19, 2024 IST | Vijay Jadav

GSEB TAT-1 and TAT-2 Recruitment; ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોના ઉગ્ર વિરોધ બાદ મુખ્યમંત્રીના સલાહકાર તેમજ શિક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવતા ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમા આ મુદ્દે માહિતી આપવા જણાવ્યું.

રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT- સેકન્ડરી અને TAT- હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

Visual Photos From X

વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઈન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

18 હજારથી વધુ શિક્ષકોની ભરતી કરાઈ

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

Tags :
GSEB TAT-1 and TAT-2 RecruitmentTATTAT 2TET
Next Article