સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

90 દિવસ માટે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી, જાણો કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

10:07 AM Oct 29, 2022 IST | admin
90 days the government will purchase at subsidized prices

Gujarat Agriculture News: લાભ પાંચમને આપણે ત્યાં શુભ દિવસ માનવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત આપણે આ દિવસથી કરતા હોઈએ છીએ. ત્યારે રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે. મગફળી, મગ, અડદની દાળની ખરીદીનો પ્રારંભ આજથી થઈ ગયો છે.

90 દિવસ માટે સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી

આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થતા ખેડૂતો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આજથી 90 દિવસ માટે ગુજરાતના 50 કેન્દ્રો પર ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકારે મગફળીના મણનો ભાવ 1170 જાહેર કર્યો છે, જ્યારં મગનો મણનો ભાવ 1551 સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અડદનો મણનો ભાવ 1320 જ્યારે સોયાબીનનો મણનો ભાવ 860 રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

જાણો કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

Labh Pancham: ગુજરાત સરકાર લાભ પાંચમથી મગફળી, મગ , અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે. આ માટે અત્યાર સુધીમાં 62 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પાક માટે વરદાન સાબિત થયું નેનો યુરિયા, ખેડૂતોને મળી રહ્યા છે આ 4 ફાયદા

પાકના સારા ઉત્પાદન માટે ઘણા પ્રકારના ખાતર-ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જૈવિક ખાતરનો ઉપયોગ જમીન અને પર્યાવરણ માટે સલામત છે, પરંતુ રાસાયણિક ખાતરો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ સાથે પર્યાવરણને પણ અનેક પ્રકારના નુકસાન થાય છે. રાસાયણિક ખાતરો જમીનમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. તેના ઉપયોગથી ભૂગર્ભજળનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટે છે, તેથી જૈવિક ખાતરો અને જૈવિક ખાતરોના ઉપયોગને મહત્વ આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. નાઈટ્રોજન તેના થોડા ટીપાં દ્વારા જ છોડને પૂરો પાડવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રેના થોડા ટીપાં પૂરતા છે, જે જમીન અને છોડ દ્વારા શોષાય છે.

નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત

  1. કેટલા ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન?

    62 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Tags :
Gujarat Agriculture News
Next Article